Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

અમેરિકામાં ઓહિયો સ્થિત શીખ પરિવારના 4 સભ્યો ઉપર ગોળીબાર : રહેણાંક એપાર્ટમેન્ટમાં થયેલા ગોળીબારથી ચારેના કરૂણ મોત

ઓહિયો : અમેરિકામાં  ઓહિયોના સિનસિનાટી ખાતેના એક એપાર્ટમેન્ટમાં વસતા શીખ પરિવારના 4 સભ્યો ઉપર ગોળીબાર થવાથી ચારેના કરૂણ મોત નિપજ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

આ 4 સભ્યો પૈકી એક ભારતથી આવેલા હતા.જયારે બાકીના 3 ત્યાં જ વસતા હતા.વિદેશ મંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજએ ટ્વીટર ઉપર દર્શાવ્યા મુજબ આ હેટ ક્રાઇમ ઘટના હોય તેવું લાગતું નથી.તેમને સ્થાનિક દૂતાવાસ કચેરી દ્વારા આ માહિતી મળી હોવાનું જણાવ્યું હતું ,રવિવારે રાત્રે બનેલી આ ઘટના અંગે પોલીસ તપાસ ચાલુ છે .

ચારે મૃતકોમાં 59 વર્ષીય હકીકતસિંઘ પનાંગ ,તથા તેમના પરિવારના 3 સભ્યો 62 વર્ષીય પરંજીત કૌર ,58 વર્ષીય અમરજીત કૌર ,તથા 39 વર્ષીય શાલીન્દર જીત કૌરનો સમાવેશ થાય છે.

(11:55 am IST)