Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

''આંતર રાષ્ટ્રીય વૈશ્નવ સંમેલન'': અમેરિકાના એડિસન ન્યુજર્ર્સી મુકામે ૬ જુલાઇથી ૮ જુલાઇ૨૦૧૮ દરમિયાન કરાયેલું ભવ્ય આયોજન : પૂ.રમેશભાઇ ઓઝાના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથા તથા યુવા વૈશ્તવાચાર્યગોૈસ્વામી ૧૦૮ શ્રી વૃજરાજકુમારજી મહોદયશ્રીના વ્યાખ્યાનોનો લહાર્વો :vyo દ્વારા TVAsia ઓડિટોરીયમ, એડિસન, ન્યુજર્સી મુકામે અપાયેલી વિસ્તૃત માહિતી

દિપ્તીબેન જાની દ્વારાઃ ન્યુજર્સી અમેરિકામાં ૬ જુલાઇ થી ૮ જુલાઇ ૨૦૧૮ દરમિયાન એક્ષ્પો સેન્ટર, એડિસન, ન્યુજર્ર્સી મુકામે દ્વિતીય વાર્ષિક આંતર રાષ્ટ્રિય વૈશ્નવ સંમેલનનું આયોજન કરાયું છે.

આ આંતર રાષ્ટ્રિય કક્ષાના સંમેલન વિષયક જાણકારી આપવા તાજેતરમાં ૨૯ એપ્રિલ ૨૦૧૮ના રોજ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન vyo  ના ઉપક્રમે  TVAsia ઓડીટોરીઅમ, એડીસન, ન્યુજર્ર્સી મુકામે કાર્યક્રમનું  આયોજન કરાયું હતું જેમાં જણાવાયા મુજબ આ સંમેલનમાં વિશ્વભરના વૈશ્નવોને એકત્રિત થવાનો તથા પરસ્પર ધાર્મિક આદાન પ્રદાનનો અને સત્સંગનો લહાવો મળશે.

સંમેલનમાં ભાગવતાચાર્ય પૂ.શ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે તેમજ યુવા વૈશ્નવાચાર્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વૃજરાજકુમારજી મહોદયશ્રીના વ્યાખ્યાનોનો લાભ મળશે તેવું TVAsia ન્યુઝ દ્વારા જાણવા મળે છે.

(9:50 am IST)