Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

હવે કેન્‍સરનું નિદાન ઝડપથી તથા સચોટ રીતે થઇ શકશે : યુ.એસ.ની રૂટગર્સ યુનિવર્સિટીના ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી પ્રભાસ વી મોઘેની ટીમએ નેનો પાર્ટિકલ્‍સ પધ્‍ધતિ વિકસાવી

બ્રન્‍સવીક : યુ.એસ.ની રૂટગર્સ યુનિવર્સિટીમાં ન્‍યુ બ્રન્‍સવીક ખાતે સેવાઓ આપતા ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી પ્રભાસ વી મોઘે તથા તેમની ટીમએ કેન્‍સરના જંતુઓને તુરંત શોધી કાઢી તેનો ફેલાવો થતો અટકાવવા માટેની સચોટ તેવી નેનો પાર્ટીકલ્‍સ પધ્‍ધતિનું સંશોધન કર્યુ છે.

યુનિવર્સિટી દ્વારા જણાવાયા મુજબ આ પધ્‍ધતિથી બહુ ઝડપથી કેન્‍સરનું નિદાન થઇ શકશે તથા સારવારમાં અનુラકૂળતા રહેશે.

(10:09 pm IST)