Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

GOPIOના પૂર્વ ચેરમેન તથા પાસ્ટ પ્રેસિડન્ટ શ્રી ઇન્દર સિંઘનું નિધનઃ ૨૭ સપ્ટેં.ના રોજ ૮૬ વર્ષની વયે કેલિફોર્નિયાની હોસ્પિટલમાં અંતિમશ્વાસ લીધા

કેલિફોર્નિયાઃ ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટી લીડર તથા લાંબા સમય સુધી ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પિપલ ઓફ ઇન્ડિયન ઓરીજીન (GOPIO)ના ચેરમેન તરીકે તેમજ પાસ્ટ પ્રેસિડન્ટ તરીકે સુવિખ્યાત શ્રી ઇન્દરસિંઘનું ગઇકાલ ૨૭ સપ્ટેં.૨૦૧૯ના રોજ કેલિફોર્નિયા મુકામે ૮૬ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે.

છેલ્લા થોડા મહિનાઓથી શારિરીક આરોગ્યના પ્રશ્નોને કારણે તેમને ૨૨ સપ્ટેં.૨૦૧૯ના રોજ સાઉધર્ન કેલિફોર્નિયાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જયાં તેમણે ૨૭ સપ્ટેં.ના રોજ સવારે અંતિમશ્વાસ લીધા હતાં.

૧૯૩૨ની સાલમાં જન્મેલા શ્રી ઇન્દરસિંઘએ ૨૦૦૪ થી ૨૦૦૯ની સાલ દરમિયાન GOPIOના પ્રેસિડન્ટ તરીકે અને ત્યારપછી ચેરમેન તરીકે સેવાઓ આપી હતી. તેઓ એશિઅન એન્ડ પેસિફીક અમેરિકન રિપબ્લીકન કોલીશનના પણ કો-ફાઉન્ડર હતા. ૧૯૮૧ની સાલમાં તેમણે ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન એશોશિએશન ઓફ સાઉથ કેલિફોર્નિયા તથા ૧૯૮૭ની સાલમાં ઇન્ડિયન અમેરિકન હેરિટેજ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી.

સદગતને ઞ્બ્ભ્ત્બ્ની  એકઝીકયુટીવ કમિટી સહિત તમામ હોદેદારોએ શ્રધ્ધાંજલી પાઠવી છે.

(9:11 pm IST)