Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

'' જગદગુરૂ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો પ૪ર મો જાહેર પ્રાકટયોત્સવ'' અમેરિકામાં આવેલા શ્રી દ્વારકાધીશ મંદિર, પાર્લિન, ન્યુજર્સી મુકામે ૧૧ મે શનિવારે થનારી ભાવભેર ઉજવણી : કળશયાત્રા, ભાગવત ગીતા, તથા પૃષ્ટિમાર્ગ કથા, ફુલફાગ મનોરથ, તથા મહાપ્રસાદ સહિતના આયોજનો

         (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી ઃ અમેરિકામાં આવેલા શ્રી દ્વારકાધિશ મંદિર, ૭૧૭, વોશિંગ્ટન રોડ, પાર્લિન, ન્યુજર્સી મુકામે આગામી ૧૧મે ર૦૧૯ શનિવારના રોજ જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો પ૪રમો  જાહેર પ્રાકટયોત્સવ  ઉજવાશે.

         ઉત્સવની ઉજવણી અંતર્ગત રાજભોગમાં જરદોશી બંગલો બપોરે ૧ર.૩૦ કલાકે, કળશયાત્રા સાંજે ૪.૩૦ કલાકે, ભાગવત ગીતા તથા  પુષ્ટિમાર્ગ  કથા સાંજે પ.૩૦ કલાકે ફુલફાગ મનોરથ (શનયમાં)  સાંજે  ૭ વાગ્યે થશે. તથા સંધ્યા દર્શન ભીતરમાં થશે.

         કાર્યક્રમના  અંતે સહુને મહાપ્રસાદનો લાભ લેવા વિનતી કરાઇ છે.

         વિશેષ વિગત માટે મંદિરના કાર્યાલયનો કોન્ટેક નં. 732-254-0061   દ્વારા સંપર્ક સાધવા જણાવાયુ છે.

         મહાપ્રભુજી ઉત્સવના મનોરથી થવા ઇચ્છતા વૈશ્નવોએ મંદિરના કાર્યાલયમાં રૂબરૂ અથવા ફોનથી  સંપર્ક સાધવા જણાવાયુ છે.

(9:45 pm IST)