Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

યુનાઇટેડ નેશન્શના સેક્રેટરી જનરલ તરીકે ભારતના શ્રી સત્ય એસ.ત્રિપાઠીની નિમણુંકઃ ન્યુયોર્ક મુકામે યુ.એન. એન્વાયરમેન્ટ પ્રોગ્રામ હેડ તરીકે જવાબદારી સંભાળશે

ન્યુયોર્કઃ યુનાઇટેડ નેશન્શના આસીસ્ટન્ટ સેક્રેટરી જનરલ તરીકે ૨૭ ઓગ.ના રોજ ભારતના અર્થશાસ્ત્રી શ્રી સત્ય એસ.ત્રિપાઠીની નિમણુંક થઇ છે. ઉપરાંત તેઓ અમેરિકાના ન્યુયોર્ક ખાતેના યુનાઇટેડ નેશન્શ એન્વાયરમેન્ટ પ્રોગ્રામના હેડ તરીકે જવાબદારી સંભાળશે.

તેઓ અર્થશાસ્ત્રી તથા લોયર તરીકેનો છેલ્લા ૩૫ વર્ષનો અનુભવ ધરાવે છે. તેમણે યુ.એન. માટે ૧૯૯૮ની સાલથી હયુમન રાઇટસ, ડેમોક્રેટીક ગવર્નન્સ સહિત વિવિધ ક્ષેત્રે સફળ કામગીરી બજાવી છે.

તેમણે ભારતની બેરહામપુર યુનિવર્સિટીમાંથી કોમર્સ તથા લોની બેચલર અને માસ્ટર ડીગ્રી મેળવેલી છે.

 

(9:27 pm IST)