Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

' ધરતીનો છેડો ઘર ' : પાકિસ્તાનમાં ફસાયેલા 450 ભારતીય નાગરિકો આખરે વતનમાં પરત ફરી શક્યા : કોરોના વાઇરસને કારણે બંને દેશ વચ્ચેની સીમા સીલ હોવાથી મહિનાઓથી પાકિસ્તાનમાં ફસાયેલા હતા

ન્યુદિલ્હી : ' ધરતીનો છેડો ઘર '  કહેવત મુજબ પાકિસ્તાનમાં ફસાયેલા 450 ભારતીય નાગરિકો આખરે વતનમાં પરત ફરી શક્યા  છે. કોરોના વાઇરસને કારણે બંને દેશ વચ્ચેની સીમા સીલ હોવાથી મહિનાઓથી તેઓ પાકિસ્તાનમાં ફસાયેલા હતા .

આ 450 ઉપરાંત ભારતીયોમાં મોટા ભાગના એટલે કે 405 ભારતીયો કાશ્મીરના સ્ટુડન્ટ છે. જેઓ અભ્યાસ માટે પાકિસ્તાન ગયા હતા તેઓ અભ્યાસ પૂરો થઇ ગયા પછી પણ કોરોના વાઇરસને  કારણે બંને દેશો વચ્ચેની સીમા સીલ હોવાથી ઘેર પરત ફરી શકયા નહોતા તેઓ આજરોજ વાઘા બોર્ડર ઉપરથી વતનમાં ઘેર પહોંચી શકયા છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(7:00 pm IST)