Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ભારત સહિત વિદેશોમાંથી આવતા તબીબો માટે વીઝા પોલીસી સરળ બનાવોઃ બ્રિટનમાં આરોગ્‍ય સેવાઓ માટે મેડીકલ સ્‍ટાફની તંગીને ધ્‍યાને લઇ ૭૧ ટકા પ્રજાજનોનું મંતવ્‍યઃ YOUGOV પોલનો સર્વે

લંડનઃ યુ.કે.માં ભારતીય મૂળના તથા વિદેશી તબીબોને અપાતા વીઝાની પોલીસી સરળ બનાવી તેઓને કાયમી નિવાસ આપવા બ્રિટનના ૭૧ ટકા લોકોએ હિમાયત કર્યાનું YOUGOV પોલના સર્વેમાં બહાર આવ્‍યું છે.

બ્રિટનમાં તબીબી સારવાર માટે ડોકટરોની તંત્રી હોવાથી નેશનલ હેલ્‍થ સર્વિસને આરોગ્‍ય સેવા પૂરી પાડવામાં પડતી તકલીફ નિવારવા માટે આ ભારતીયો સહિત વિદેશી મૂળના તબીબો માટે વીઝા પોલીસી સરળ બનાવી તેમને કાયમી નિવાસ આપવા લોકલાગણી હોવાનુ સર્વેમાં જાણવા મળ્‍યુ હતુ.

(9:43 pm IST)