Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

ઇન્ડિયન અમેરિકન ડો.અમરજીત સિંઘ મારવાહનું લોસ એંજલસ મુકામે બહુમાન કરાશે : સાઉધર્ન કેલિફોર્નિયાના પ્રજાજનોને 50 વર્ષ સુધી તબીબી સેવાઓ આપવાનો વિક્રમ

કેલિફોર્નિયા : અમેરિકાના સાઉધર્ન કેલિફોર્નિયાના પ્રજાજનોને 50 વર્ષ સુધી તબીબી સેવાઓ આપવાનો વિક્રમ  સર્જનાર ઇન્ડિયન અમેરિકન ડેન્ટીસ્ટ શ્રી .અમરજીત સિંઘ મારવાહનું લોસ એંજલસ મુકામે 4 ફેબ્રુઆરી 2019 ના રોજ બહુમાન કરાશે જોગાનુજોગ દિવસે તેમનો 93 મો જન્મદિન છે.

તેમણે તબીબી સેવાઓ ઉપરાંત સામાજીક સેવાઓ માટે પણ ખુબ મહત્વનું યોગદાન આપેલું છે.તેઓ શીખ સ્ટડી સર્કલ તથા મહાત્મા ગાંધી ફાઉન્ડેશનના સ્થાપક છે.ભારતના પંજાબમાં આવેલા ફરીદકોટ મુકામે  તેમણે પોતાના પત્ની કુલજીત કૌર ના  નામે કે.કે.ગર્લ્સ કોલેજની સ્થાપના કરી છે.તેઓ શીખ સ્ટુડન્ટ્સને વધુ અભ્યાસ માટે સ્કોલરશીપ પણ આપે છે.

(12:18 pm IST)