Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

પાકિસ્તાનની જેલમાં ભારતના ૫૩૭ કેદીઓઃ દર ૬ મહિને આપવાની થતી માહિતી મુજબ પાકિસ્તાન સરકારે જાહેર કરેલા આંકડાઓ

ઇસ્લામાબાદઃ ભારત તથા પાકિસ્તાન વચ્ચે થયેલી સમજુતિ મુજબ આજરોજ પાકિસ્તાને ત્યાંની જેલમાં બંધ ભારતીય કેદીઓની  સંખ્યા જણાવી છે. જે મુજબ જુદી જુદી જેલોમાં ભારતના ૫૩૭ કેદીઓ બંધ છે. જેમાં ૪૮૩ માછીમારો છે.

૨૦૦૮ની સાલમાં બંને દેશો વચ્ચે થયેલી સમજુતિ મુજબ વર્ષમાં બે વખત એટલે કે જાન્યુ. તથા જુલાઇ  માસમાં પોતાના દેશમાં બંધ કેદીઓની સંખ્યા અરસ પરસ આપવાની હોય છે. જે પૈકી પાકિસ્તાને આપેલા આંકડાઓ બાદ હવે ભારત સરકાર પણ પાકિસ્તાની કેદીઓની સંખ્યા જણાવશે.

(7:02 pm IST)