News of Saturday, 31st October 2020
ફકત લગ્ન માટે ધર્મ પરિવર્તન કરાવવું માન્ય નહિં : ઇલાહાબાદ હાઇકોર્ટ
નવી દિલ્હી : ઇલાહાબાદ હાઇકોર્ટએ અલગ -અલગ ધર્મના એક દંપતિ દ્વારા પોલીસ સુરક્ષા માટે દાખલ અરજી ઠુંકરાવતા કહ્યું કે ફકત લગ્ન માટે ધર્મ પરિવર્તન કરાવવું કાનૂનમાં માન્ય નથી હાઇકોર્ટએ સુપ્રિમકોર્ટના એક આદેશને ઉલ્લેખ કર્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે ધર્મપરિવર્તન ત્યારે માનય છે જયારે વ્યકિતની સ્વેચ્છા અને ઇશ્વરમાં આસ્થા હોય.
(9:49 pm IST)