News of Saturday, 31st October 2020
બીજેપીના ૩ કાર્યકર્તાઓની હત્યાઓ પાછળ લશ્કર-એ-તૈયબાનો હાથ : કાશ્મીર આઇજી વિજયકુમાર
કાશ્મીર રેંજના પોલીસ મહાનિરીક્ષક (આઇ.જી) વિજયકુમારએ કહ્યું કે કુલગામ જિલ્લામાં ૩ બીજેપી કાર્યકર્તાઓની હત્યાઓ પાછળ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા નો હાથ છે. એમણે કહ્યું કે બીજેપી નેતાઓની હત્યાઓમાં થોડા સ્થાનિય આતંકવાદી પણ સામેલ હતા સાથે જ એમણે આ પણ કહ્યું કે હુમલો પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યો હતો.
(9:32 pm IST)