કેટલાંક દળો દેશની પરિસ્થિતિનો લાભ લઇને વિવિધ સમુદાયો વચ્ચે તિરાડ પાડવા પ્રયાસ કરી શકે: શરદ પવાર
શરદ પવારે સમાજના તમામ વર્ગ વચ્ચે શાંતિ જાળવવાની વાત કરી
મુંબઈ : અયોધ્યા કેસમાં આવતા મહિને સુપ્રીમ કોર્ટ ચુકાદો આપવાની તૈયારીમાં છે ત્યારે એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું કે 'કેટલાંક દળોએ' દેશની પરિસ્થિતિનો લાભ લઇ ને વિવિધ સમુદાયો વચ્ચેની તિરાડ પાડવાનો પ્રયાસ કરી શકે છે. તેમણે સમાજના તમામ વર્ગ વચ્ચે શાંતિ જાળવવાની વાત કરી હતી.
પવારે એનસીપીના ધારાસભ્યોની બેઠકમાં આ ટિપ્પણી કરી હતી. આ ધારાસભ્યોએ અજિત પવારને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પસંદ કર્યા છે.
દાયકાઓ જૂના જમીન વિવાદનો ઉલ્લેખ કરતા પવારે કહ્યું કે રામ જન્મભૂમિ એ દેશના વિશાળ વર્ગના લોકો માટે આસ્થાની વાત છે. તે જ સમયે, 1992 માં બાબરી મસ્જિદના ધ્વંસ અંગે દેશના લઘુમતીઓમાં એક અલગ લાગણી છે.
પવારે કહ્યું કે, 'હું લઘુમતીઓ વચ્ચેની લાગણી જોઉં છું કે ન્યાયતંત્ર જે પણ નિર્ણય લેશે, તે સ્વીકારશે.' સમાજમાં શાંતિ જાળવવા માટે પગલા ભરવાની જરૂર છે. 'તેમણે કહ્યું કે, કેટલીક શક્તિઓ આ તકનો લાભ લઇ સમુદાયોમાં અણબનાવ પેદા કરવાનો પ્રયાસ કરી શકે છે