News of Thursday, 31st October 2019
લખનૌમાં બસે ડિવાઈડર પર ચડી જતા સુતેલા લોકોને કચડ્યા : બેના મોત : અનેક ઘાયલ
ડ્રાઇવર લોકોના રોષથી ડરીને નાસી ગયો
લખનઉ: ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં સવારે બેફામ સ્પીડ પર દોડતી એક બસના ડ્રાઇવરે બસ પરથી કાબુ ગુમાવતા બસ રોડ ડિવાઇડર પર ચડી ગઇ હતી.પરિણામે ડિવાઇડર પર સુતેલા બેઘર અને ગરીબ લોકોમાં બે ના મોત નિપજ્યા હતા જયારે અનેક લોકોને ઇજા થઇ હતી.
જાનકીપુરમ પોલીસ સ્ટેશનની હદમાં એંજિંનીયરીંગ કોલેજ ચાર રસ્તા પાસે આ દુર્ઘટના બની હતી.
આ બસ દિલ્હીના લોહા મંડી વિસ્તારથી ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જઇ રહી હતી. આજે સવારે પાંચ વાગ્યે આ અકસ્માત થયો હતો. ડિવાઇડર પર સુતેલો માણસ પાન મસાલા વેચીને ગુજરાન ચલાવતો હતો.
સમગ્ર પરિવાર રોડ ડિવાઇડર પર જ રહેતો હતો. ડ્રાઇવર લોકોના રોષથી ડરીને નાસી ગયો હતો. પોલીસ તપાસ ચાલુ હતી.
(12:14 pm IST)