જમ્મુ કાશ્મીરના પૂછ સીમાએ પાકિસ્તાની સેનાનો ગોળીબાર: મનકોટ સેક્ટરના ડબરાજ,બલનોઇ અને નારહ ગામને નિશાન બનાવ્યા
નવી દિલ્હી ;પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ કાશ્મીરના પૂછ જિલ્લામાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે ભારતીય જવાનો જવાબી કાર્યવાહી કરી રહ્યાં છે પોલીસ પ્રવક્તાએ કહ્યું કે મનકોટ સેક્ટરમાં સીમાપારથી સાંજે 5 વાગ્યાથી ગોળીબાર શરુ થયા છે અને બંને તરફથી સમયાંતરે ગોળીબાર ચાલુ છે
તેઓએ કહ્યું કે પાકિસ્તાની સૈનિકોએ નાના અને મોટા હથિયારોથી મનકોટના ડબરાજ,બલનોઈ અને નારહ ગામમાં મુખ્ય ચોકીઓ અને ગામને નિશાન બનાવ્યા છે પાકિસ્તાની ગોળીબારમાં કોઈ જાનમાલને નુકશાનના કોઈ અહેવાલ નથી
પ્રવક્તાએ એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાની સૈન્કોએ કાલે સાંજે પુંછના કૃષ્ણઘાટી સેક્ટરમાં 15 મિનિટ સુધી ઉશ્કેરવા ગોળીબાર અને વિસ્ફોટો કર્યા હતા કૃષ્ણઘાટી સેક્ટર ઉપરાંત પાકિસ્તાની સૈનિકોએ કાલે રાજોરી જિલ્લના નૌશેરા સેક્ટરમાં અડધો ડઝન ગામને નિશાન બનાવ્યા હતા