કોવિડથી વધારે ખતરો હોય તેવા બાળકો માટે આવતા મહિનાના અંત સુધીમાં આવશે વેક્સીન
દેશના 44 કરોડ બાળકો માટે પ્રાથમિકતા પ્રક્રિયા ચાલું :જોખમમાં રહેલા બાળકોની યાદી તૈયાર કરવા કવાયત
નવી દિલ્હી: ઉચ્ચ જોખમ ધરાવતા બાળકો માટે રસીકરણ ડિસેમ્બરમાં શરૂ થશે અને આગામી વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સ્વસ્થ બાળકો માટે રસીકરણ શરૂ થશે. આ માહિતી દેશના કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ ડૉ એન કે અરોરાએ NDTVને આપી હતી. તેમણે કહ્યું કે Zydus-Cadillaની ZyCoV-D રસીના ડોઝની સંખ્યા ત્રણથી વધારીને બે ડોઝ કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. પુખ્ત વયના લોકોમાં રસીકરણની જેમ, દેશના 44 કરોડ બાળકો માટે પ્રાથમિકતા પ્રક્રિયા ચાલું છે અને જોખમમાં રહેલા બાળકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.
ડૉ. અરોરાએ જણાવ્યું હતું કે અમે તબક્કાવાર રીતે આગળ વધીશું. પરંતુ આખરે મને લાગે છે કે ડિસેમ્બરના અંત સુધીમાં અમે જોખમ ધરાવતા બાળકો માટે બાળ રસીકરણ શરૂ કરવા સક્ષમ બની જઈશુ. જેવું જ 10થી 15 ટકા જેટલો છે તે પૂર્ણ થતાં જ અમે સ્વસ્થ બાળકોને રસીકરણનું કામ શરૂ કરીશું.
યોજનાની રૂપરેખા આપતા તેઓએ કહ્યું કે તેઓ ZyCov-D ડોઝ ટ્રાયલના પરિણામોની રાહ જોઈ રહ્યા છે. Covaxin એ પણ ટ્રાયલ પૂર્ણ કરી લીધી છે અને અમે ડિસેમ્બરના અંત સુધીમાં Covovax (ભારતના સીરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી) ની બાળ ચિકિત્સા પરીક્ષણ પૂર્ણ કરવાની આશા રાખીએ છીએ.
સત્તાવાળાઓ WHOની મંજૂરી વિના બાળકો માટે ZyCoV-D અથવા Covishield સાથે શા માટે આગળ વધી રહ્યા છે તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું, “અમે ડેટા જોયો છે, ચિંતા કરવાની કોઈ વાત નથી, કારણ કે આ બધી નિષ્ક્રિય રસીઓ છે.” શાળાના મુદ્દે ડો. અરોરાએ કહ્યું કે હું સમગ્ર દેશને વિનંતી કરું છું કે રાજ્ય સરકારો અને ખાનગી ક્ષેત્રની શાળાઓ છે, તેને ખોલવી જોઈએ.
તેમણે કહ્યું કે વાલીઓએ તેમના બાળકોને શાળાએ મોકલવા જોઈએ કારણ કે અમારી પાસે રસીકરણવાળા પુખ્ત વયના લોકોનું સારું જૂથ છે અને તમામ શાળાઓ અને સ્ટાફને રસી આપવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા છે. માતાપિતાએ જોવું જોઈએ કે ઘરના તમામ પુખ્ત વયના લોકો કે જેમના બાળકો શાળાએ જઈ રહ્યા છે તેમને રસી આપવામાં આવી છે, જેથી બાળકોને રક્ષણ હેઠળ રાખી શકાય.