મુખ્ય સમાચાર
News of Saturday, 30th November 2019

ગોડસે મુદ્દે ધમાસાણ યથાવત :પ્રજ્ઞા ઠાકુર અને પીએમ મોદીની વિચારસરણીમાં તફાવત નથી :દિગ્વિજયસિંઘ

નવી દિલ્હી : નથુરામ ગોડસેના મુદ્દે ધમસાણ યથાવત છે પ્રજ્ઞા ઠાકુર અને વડા પ્રધાન  મોદીની વિચારસરણીમાં બહુ તફાવત નથી એવો આક્ષેપ પીઢ કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંઘે કર્યો હતો.

તેમણે કહ્યું, મોદીનું ભીતર ખંખોળી જુએા. તમને મારી વાતની પ્રતીતિ મળી જશે. પ્રજ્ઞા જેવા જ વિચારો મોદી પણ ધરાવે છે. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યોને પહેલેથી એવું સમજાવવામાં આવેલું કે મહાત્મા ગાંધીની હત્ય કરીને ગોડસેએ દેશની બહુ મોટી સેવા કરી હતી.

 તેમણે કહ્યું કે મોદી ખરેખર ગાંધીજીના વિચારો અને કાર્યથી પ્રભાવિત હોય તો આવું બોલનારને તરત પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હોત. પરંતુ એ પોતે પણ આવી વિચારસરણી ધરાવે છે એટલે પ્રજ્ઞાને સાંખી લીધી છે અને એની માફી સ્વીકારી લીધી છે.

(12:11 pm IST)