મુખ્ય સમાચાર
News of Friday, 30th November 2018

હૈદરાબાદમાં સિદ્ધુએ આપ્યો નવો નારો, બુરે દિન જાનેવાલે હે, રાહુલ ગાંધી આનેવાલે હૈ...

હૈદરાબાદ : તેલંગાણા વિધાનસભા ચુંટણીમાં પ્રચાર માટે હૈદરાબાદ પહોંચેલા પંજાબના મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ નવો નારો આપ્યો છે. સિદ્ધુએ કહ્યું કે, અમે રાહુલ ગાંધીના સિપાહી છીએ, મારો નારો છે કે ખરાબ દિવસો જવાનાં છે અને રાહુલ ગાંધી આવવાનાં છે. (बुरे दिन जाने वाले हैं और राहुल गांधी आने वाले हैं). લાલ કિલ્લા પર ઝંડો ફરકાવવાનાં છે, કોઇ રોકી શકે તો રોકો.

   સમાચાર એજન્સી એએનઆઇ સાથે વાતચીતમાં સિદ્ધુએ તેમની પાકિસ્તાન યાત્રાના વિવાદ અંગે કહ્યું કે, જ્યારે હું પાકિસ્તાન ગયો હતો અને ત્યાંથી પરત કરતારપુર કોરિડોરની વાત કરી હતી ત્યારે લોકોએ મારી મજાક ઉડાવી હતી. હવે તે જ લોકો પોતાનાં નિવેદનો બદલીને યુટર્ન લઇ રહ્યા છે અને પોતાને ખોટા ઠેરવી રહ્યા છે.

 

(11:25 pm IST)