બોલીવૂડના ગુંડાઓ કાન ખોલીને સાંભળી લો હું બીજો સુશાંત નહીં બનૂ' : KRKના ટ્વિટથી મોટો ખળભળાટ
અમે યુપીના લોકો ક્યારેય કોઈથી ડરતા નથી અને ક્યારેય હારતા નથી. હવે આર પારની થશે
મુંબઈ : કેઆરકે એટલે કે કમલ રાશિદ ખાન આજકાલ ઘણા ચર્ચામાં છે. તે પોતાની ટ્વીટ્સ દ્વારા બી-ટાઉનનાં સ્ટાર્સને નિશાન બનાવતા રહે છે. કેઆરકેએ વિવાદની શરૂઆત સલમાન ખાન સાથે કરી હતી અને ત્યારબાદ તે મીકા સિંહ, દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને આખા બોલીવુડ તરફ આગળ વધ્યો હતો. કેઆરકેએ ફરી એકવાર પોતાના ટ્વિટથી વાતાવરણ ગરમ કર્યું છે.
તેણે કહ્યું કે તે બીજો સુશાંત સિંહ રાજપૂત નહીં બને અને બોલિવૂડનો પરાજય થશે. કેઆરકેએ લખ્યું છે- 'બોલિવૂડના ગૂંડા ભાઈ આ તો તમે 100 ટકા માની લો કે હું બહારનો માણસ છું પણ હું બીજો સુશાંત સિંહ રાજપૂત નહીં બનીશ
આ વખતે બોલિવૂડનો પરાજય થશે. કારણ કે આ વખતે બોલિવૂડે ખોટા વ્યક્તિ સાથે પંગો લીધો છે.
કેઆરકેએ આગળના ટ્વીટમાં લખ્યું- 'બોલિવૂડના ગૂંડા એક વાત ખુલ્લા કાનથી સાંભળો. અમે યુપીના લોકો ક્યારેય કોઈથી ડરતા નથી અને ક્યારેય હારતા નથી. હવે આર પારની થશે, અને તે એવું બનશે કે તે બોલીવુડના ઇતિહાસમાં રેકોર્ડ કરવામાં આવશે. તમારું પડકાર સ્વીકાર છે.
ફિલ્મ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' રિલીઝ થયા પછી સલમાન ખાન અને કેઆરકે વચ્ચે વિવાદ શરૂ થયો હતો. તે પછી મામલો કોર્ટમાં પહોંચ્યો. સલમાન ખાન અને કેઆરકે વિવાદમાં મીકા સિંહ પણ આવ્યા હતા અને તેમણે આ ગીત પણ બનાવી દીધું.