News of Friday, 30th October 2020
એનઇઇટી પાસ કરાવાવાળા સરકારી સ્કુલના વિદ્યાર્થીઓ માટે ૭.પ ટકા આરક્ષણને તમિલનાડુમાં મંજુરી
તમિલનાડુના રાજયપાલ બનવારી લાલ પુરોહિતએ એનઇઇટી પરીક્ષા પાસ કરાવાવાળા સરકારી સ્કુલના વિદ્યાર્થીઓને રાજયની મેડિકલ કોલેજોમાં ૭.પ ટકા આરક્ષણ આપવાના ખરડાને મંજુરી આપી છે. રાજયપાલએ આના પર ભારતના સોલીસીટર જનરલની પણ કાનૂની સલાહ માંગી હતી. આ શૈક્ષણિક સત્રથી સરકારી સ્કુલના વિદ્યાર્થીઓ માટે સીટો આરક્ષિત કરવામાં આવશે.
(11:18 pm IST)