લવ જેહાદના દોષિતોને ફાંસી આપવા બાબા રામદેવની ઉગ્ર માગ
નિકિતા તોમર હત્યાકાંડ પર રામદેવની પ્રતિક્રિયા : લવ જેહાદના નામે થતી હત્યાઓને શરમજનક ગણાવી
હરિદ્વાર, તા. ૩૦ : હરિયાણામાં ધોળા દિવસે થયેલા નિકિતા તોમર હત્યાકાંડ પર બાબા રામદેવનું કહેવું છે કે આવી ઘટનાઓ ભારત માતાના માથા પર કલંક છે. લવ જેહાદના નામ પર નૃશંસ હત્યાઓનો દોર શરમજનક છે. આવા દરિંદોને ઝડપથી ખુલ્લેઆમ ફાંસી આપી દેવી જોઇએ. ઇસ્લામના મૌલાના, મૌલવીઓએ તેનો વિરોધ કરવો જોઇએ. કોઇ ગુંડા આવી હરકતો ના કરી શકે દેશમાં એવો કઠોર કાયદો-વ્યવસ્થા હોવા જોઇએ.
યોગ ગુરૂ બાબા રામદેવ એ લવ જેહાદના નામ પર દેશમાં થઇ રહેલ નૃશંસ હત્યાઓને શરમજનક ગણાવતા બલ્લભગઢની નિકિતા તોમર હત્યાકાંડના આરોપીઓને જાહેરમાં ફાંસીની સજા આપવાની માંગણી કરી છે. જેથી કરીને આવી ઘટનાઓના પુનરાવર્તનને રોકી શકાય. પતંજલિ યોગપીઠમાં એક ધાર્મિક આયોજન બાદ પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોથી લવ જેહાદને લઇ કડક કાયદો બનાવાની તથા ગુનેગારોને આકરી સજા આપવાની માંગણી કરી. તેમણે આ સંબંધમાં ઇસ્લામિક ગુરૂઓ અને મૌલવીઓને પણ લવ જેહાદનો વિરોધ કરવાનું કહ્યું જેથી કરીને સમાજમાં થઇ રહેલા જઘન્ય ગુનાઓને રોકી શકાય. આવા જઘન્ય ગુનાઓથી ભારત અને ભારત માતા કલંકિત થઇ રહ્યા છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી દોષિતોને ચોકમાં ફાંસી જેવી સજા આપવામાં આવશે નહીં ત્યાં સુધી જાહેર બજારમાં થતા આવા ગુનાઓને રોકી શકાશે નહીં.