News of Friday, 30th October 2020
છતીસગઢમાં નક્સલવાદીઓ દ્વારા આઈ.ઈ.ડી. બ્લાસ્ટ : એક જવાન ઘાયલ
નારાયણપુર જિલ્લામાં સુરક્ષા કર્મીઓ સર્ચ કરવા નીકળ્યા ત્યારે બ્લાસ્ટ કરાયો
છતીસગઢના નારાયણપુર જિલ્લામાં શુક્રવારે સવારે, નક્સલવાદીઓએ આઈઈડીનો ધડાકો કર્યો હતો. આ ઘટનામાં આઈટીબીપી 53 મી બટાલિયન ચાર્લી કંપનીનો એક જવાન ઘાયલ થયો હતો. જવાનની સ્થિતિ સ્થિર હોવાનુ જણાવાયુ છે અને તેને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યો છે.
આ ઘટનાની પુષ્ટિ કરતા એસપી મોહિત ગર્ગે જણાવ્યુ હતુ કે,' મામલો કોહકામેટા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જયારે સુરક્ષા કર્મીઓ સર્ચ કરવા નીકળ્યા હતા, ત્યારે આ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે.'
(1:47 pm IST)