મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

છેલ્લા ૧૫ દિવસથી નરેન્દ્રભાઈ અમારા સંપર્કમાં હતા અને બાપાના ખબર અંતરના સમાચાર પૂછતા હતા

નરેન્દ્રભાઈએ કેશુભાઈના પરિવારજનોને સાંત્વના આપી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સવારે ૧૦:૦૫ વાગ્યે ગાંધીનગર સ્થિત કેશુબાપાના નિવાસે જઈ તેમના પરિવારજનોને સાંત્વના આપી હતી. ત્યારબાદ શ્રી મોદી સ્વ.મહેશ - નરેશ કનોડીયાના નિવાસસ્થાને જવા રવાના થયા હતા. બાદ સ્વ.કેશુબાપાના પરિવારજનોએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવ્યા અમને ઘણું સારૂ લાગ્યુ. તેઓ અમારા પરિવારજનો સાથે છેલ્લા ૧૫ દિવસથી સતત સંપર્કમાં હતા અને બાપાની ખબર અંતર પૂછતા રહેતા હતા. તેઓએ કહેલ કે બાપાની સાથે જે કંઈ કાર્યો કર્યા તેમાં તેમણે પૂરતો સહયોગ આપ્યો હતો. તેમ કેશુબાપાના દીકરી સોનલબેને જણાવેલ.

(12:51 pm IST)