મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

રાજકોટ શહેર-જીલ્લામાં કોરોનાથી આજે ૩ મોત

તંત્રનાં ચોપડે ગઇકાલે ૩ મોત પૈકી ૧ કેસની નોંધ : શહેર - જીલ્લાની કોવીડ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ૨૧૧૪ બેડ ખાલી

રાજકોટ, તા. ૩૦:  વૈશ્વિક મહામારી કોરોનાથી શહેર અને જીલ્લામાં  છેલ્લા સપ્તાહમાં મુત્યુની સંખ્યામા સતત ઘટાડો  જોવા મળી રહી છે ત્યારે આજે  વધુ ૩ ના મોત થયા છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી  એક  મૃત્યુની નોંધ થઇ છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૨૯નાં સવારે ૮ વાગ્યાથી તા.૩૦ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૩ દર્દીઓએ દમ તોડી દીધા હતો.

તંત્રની સતાવાર યાદીમાં કોવીડ-નોન કોવીડ થી શહેર-જીલ્લામાં ૩ નાં મૃત્યુ જાહેર થયા છે. જયારે તે જ યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે કોરોનાથી ૩ પૈકી એક  મૃત્યુ જાહેર કરવામાં આવ્યા છે.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૧૧૪ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

(10:56 am IST)