રાજકોટ શહેર-જીલ્લામાં કોરોનાથી આજે ૩ મોત
તંત્રનાં ચોપડે ગઇકાલે ૩ મોત પૈકી ૧ કેસની નોંધ : શહેર - જીલ્લાની કોવીડ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ૨૧૧૪ બેડ ખાલી
રાજકોટ, તા. ૩૦: વૈશ્વિક મહામારી કોરોનાથી શહેર અને જીલ્લામાં છેલ્લા સપ્તાહમાં મુત્યુની સંખ્યામા સતત ઘટાડો જોવા મળી રહી છે ત્યારે આજે વધુ ૩ ના મોત થયા છે.
સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે કોરોનાથી એક મૃત્યુની નોંધ થઇ છે.
આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૨૯નાં સવારે ૮ વાગ્યાથી તા.૩૦ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૩ દર્દીઓએ દમ તોડી દીધા હતો.
તંત્રની સતાવાર યાદીમાં કોવીડ-નોન કોવીડ થી શહેર-જીલ્લામાં ૩ નાં મૃત્યુ જાહેર થયા છે. જયારે તે જ યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે કોરોનાથી ૩ પૈકી એક મૃત્યુ જાહેર કરવામાં આવ્યા છે.
કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૧૧૪ બેડ ખાલી છે.
શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.