News of Friday, 30th October 2020
ભારતીય કેદીઓની સજા પુરી થઇ ગયા પછી પણ શા માટે છોડતા નથી ? : પાકિસ્તાન હાઇકોર્ટનો ઇમરાન સરકારને સવાલ
ઇસ્લામાબાદ : સજાની મુદત પુરી થઇ ગયા પછી પણ જેલમાં સબડી રહેલા ભારતીય કેદીઓને મુક્ત કરી દેવા માટે પાકિસ્તાન હોઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.જે અંતર્ગત નામદાર હાઇકોર્ટ ન્યાયધીશે આ કેદીઓને હજુ સુધી ન છોડવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી.તથા સરકારને મુદત પુરી થઇ ગયા પછી પણ રોકી પડેલા ભારતીય કેદીઓને મુક્ત કરી દેવા આદેશ કર્યો છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(12:21 pm IST)