ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી માટે મથુરામાં: સજ્જડ સુરક્ષા ગોઠવાઈ
મથુરા : સમગ્ર દેશમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ મથુરામાં કૃષ્ણ જન્માષ્ટમી કાર્યક્રમમાં હાજરી આપશે.
આજે સોમવારે ભગવાન શ્રી કૃષ્ણના જન્માષ્ટમી તહેવાર નિમિત્તે દર્શન કરવા માટે બપોરે ૩.૩૦ વાગ્યે મથુરા પહોંચશે. ઉપરાંત તેઓ મથુરાના રામલીલા મેદાનમાં રવિવારથી ત્રણ દિવસીય કૃષ્ણોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે તે કાર્યક્રમમાં પણ યોગીજી હાજરી આપશે. ઉત્તર પ્રદેશ બ્રજ તીર્થ વિકાસ પરિષદના સીઈઓ નાગેન્દ્ર પ્રતાપના નેજા હેઠળ આ કાર્યક્રમનું આયોજન કાઉન્સિલ, રાજ્ય પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
યોગીજી લગભગ ૯૦ મિનિટ સુધી મથુરાના કાર્યક્રમોમાં હાજરી આપશે, જે દરમિયાન તેઓ શ્રી કૃષ્ણ જન્મસ્થાન મંદિરોની પણ મુલાકાત લેશે.