મુખ્ય સમાચાર
News of Friday, 30th July 2021

ટીમ ઇંડિયાને ઝટકો : યઝુવેન્દ્ર ચહલ અને કે ગૌથમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

8 ખેલાડીની ટીમમાં બેને સામેલ હતા : અગાઉ કૃણાલ પંડ્યા પણ કોરોના પોઝીટીવ આવી ચુક્યો છે.

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમને ફરી ઝટકો લાગ્યો છે, લેગ સ્પીનર ચહલ અને સ્પીનર ગૌથમ બંનેનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જણાવવું રહ્યું કે 8 ખેલાડીની ટીમમાં બેને સામેલ હતા. અગાઉ કૃણાલ પંડ્યા પણ કોરોના પોઝીટીવ આવી ચુક્યો છે.

યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમ ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યાના સંપર્કમાં આવ્યા હતા. કૃણાલ 27 જુલાઈએ કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો.

ચહલ અને ગૌતમ ઉપરાંત હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, પૃથ્વી શો, મનીષ પાંડે અને ઈશાન કિશન પણ કૃણાલના સંપર્કમાં આવ્યા હતા. જોકે તેઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ તમામ ખેલાડીઓ શ્રીલંકા સામેની બીજી અને ત્રીજી ટી -20 માં ટીમ ઈન્ડિયાનો ભાગ નહોતા.

(1:20 pm IST)