યુ.એસ. સ્થિત શ્રી મધુસુદન એ. ઠકકરનું ર૯ જુલાઇના રોજ દુઃખદ અવસાન
(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ. સ્થિત શ્રી મધુસુદન એ. ઠકકરનું ર૯ જુલાઇ ર૦૧૮ ના રોજ દુઃખદ અવસાન થયું છે.
૧૪ ફેબ્રુ ૧૯૩૦ ના રોજ જન્મેલા શ્રી મધુસુદનભાઇએ LIC ઓફ ઇન્ડિયામાં ૩પ વર્ષની યશસ્વી સેવાઓ આપ્યા બાદ તેઓ ઓલ્ડ બ્ર્રિજ ન્યુજર્સી સ્થિત તેમના સુપુત્ર શ્રી વિજયભાઇ ઠકકર સાથે આનંદમય જીવન વીતાવતા હતા. તેઓ તેમની પાછળ તેમના ધર્મપત્ની શ્રીમતિ જયાબેન તથા પુત્રો શ્રી વિજયભાઇ ઠકકર, શ્રી ᅠ રાજેશભાઇ ઠકકર (શિકાગો ઇલિનોઇસ) શ્રી મુકેશભાઇ ઠકકર (એટલાન્ટા, જયોર્જીયા ) તથા ૮ પૌત્રો તથા પ પ્રપૌત્રો સહિતના વિશાળ પરિવાર તેમજ સ્નેહીજનોને વિલાપ કરતા છોડી ગયા છે.
વિશેષ માહિતી માટે શ્રી વિજયભાઇ ઠકકર 1 (732) 856 4043 દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.