News of Thursday, 30th June 2022
હવે પછીની લડાઈ શિવસેનાના ચુંટણી ચિહ્નને લઈને થશે: ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી ભવિષ્ય ભાખ્યું
જો ચુંટણી આયોગ શિંદે જૂથને ધનુષ અને તીર ફાળવે છે, તો તે ઉદ્ધવ માટે માત્ર ચઢાવ-ઉતારનો સંઘર્ષ જ નહીં, તે હાથ અને પગ એકસાથે બાંધીને K2 પર ચઢવા જેવું હશે
નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું, "આગળની લડાઈ શિવસેનાના ચુંટણી ચિહ્નને લઈને થશે. જો ચુંટણી આયોગ શિંદે જૂથને ધનુષ અને તીર ફાળવે છે, તો તે ઉદ્ધવ માટે માત્ર ચઢાવ-ઉતારનો સંઘર્ષ જ નહીં, તે હાથ અને પગ એકસાથે બાંધીને K2 પર ચઢવા જેવું હશે.
(9:22 pm IST)