ભીમા કોરેગાંવ કેસ : 82 વર્ષીય આરોપી તેલુગુ કવિ વરવરા રાવે જામીન માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા : તબીબી આધાર પર કાયમી જામીન મેળવવા માટે અરજ ગુજારી :11 જુલાઈના રોજ સુનાવણી
ન્યુદિલ્હી : 2018ની સાલના ભીમા કોરેગાંવ હિંસાના આરોપી તેલુગુ કવિ વરવરા રાવે તબીબી આધાર પર કાયમી જામીન મેળવવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.
જસ્ટિસ સૂર્યકાન્ત અને જેબી પારડીવાલાની વેકેશન બેન્ચ સમક્ષ આજે વરિષ્ઠ વકીલ આનંદ ગ્રોવરે તેનો ઉલ્લેખ કર્યા પછી આ બાબત 11 જુલાઈના રોજ સૂચિબદ્ધ થશે.
રાવે બોમ્બે હાઈકોર્ટના 13 એપ્રિલના ચુકાદાને પડકાર્યો છે જેણે તેમની જામીન માટેની અરજી ફગાવી દીધી હતી.
વરિષ્ઠ વકીલ આનંદ ગ્રોવરે ગુરુવારે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જેબી પારડીવાલાની વેકેશન બેન્ચ સમક્ષ અપીલનો ઉલ્લેખ કર્યો હતો.
"માય લોર્ડ્સ તે 82 વર્ષના છે. કૃપા કરીને તેનો કેસ ફરીથી સાંભળો," ગ્રોવરે કહ્યું.
ખંડપીઠે 11 જુલાઈના રોજ આ મામલાની યાદી આપવા સંમતિ દર્શાવી હતી. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.