મુખ્ય સમાચાર
News of Thursday, 30th June 2022

ફડણવીસ અને શિંદે બપોરે ૩ વાગ્‍યે રાજ્‍યપાલને મળશે

મુંબઇ,  તા.૩૦: દેવેન્‍દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે આજે બપોરે ૩ વાગ્‍યે રાજ્‍યપાલ કોશ્‍યારીને મળશે. એકનાથ શિંદે કેમ્‍પના ધારાસભ્‍ય દીપક કેસરકરે કહ્યું છે કે ભાજપના નેતા ફડણવીસ શપથગ્રહણની તારીખ નક્કી કરશે. દીપકે વધુમાં કહ્યું કે શિવસેના એક છે પરંતુ વિધાનસભામાં શિવસેનાના બે જૂથ છે અને આજે પણ વિધાનમંડળના નેતા એકનાથ શિંદે છે. તેમણે કહ્યું કે અમે કોઈની પીઠમાં છરો માર્યો નથી, સંજય રાઉતના આવા નિવેદનો માત્ર લોકોમાં રોષ ફેલાવવા માટે છે.

(3:34 pm IST)