News of Thursday, 30th June 2022
આપણા જ લોકોએ દગો કર્યોઃ પીઠમાં ખંજર માર્યુઃ રાઉત
છલકાયું દર્દ
મુંબઇ, તા.૩૦: શિવસેનાના રાજ્યસભા સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ મીડિયા સાથે વાત કરતા કહ્યું છે કે આપણા જ લોકોએ છેતરપિંડી કરી છે. રાઉતે કહ્યું કે આપણા જ લોકોએ પીઠમાં ખંજર નાખ્યો છે. શિવસેનાના ધારાસભ્યો દબાણમાં હતા. પરંતુ આ બાળાસાહેબની શિવસેના છે અને અમે તેમના બતાવેલા માર્ગ પર ચાલતા રહીશું. આ દરમિયાન રાઉતે કહ્યું કે અમે બાળાસાહેબના વારસાને આગળ વધારીશું. આ સાથે રાઉતે કહ્યું કે એકનાથ શિંદેને ભાજપ સાથે જવાની શુભેચ્છા.
રાઉતે કહ્યું કે સરકારને પછાડવા પાછળ કોણ જાણે છે અને અમે સત્તાના લોભી નથી.
(3:29 pm IST)