ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૦૪
ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૭ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
જોડાયેલ
‘‘જો તમે પ્રેમ સાથે જોડાયેલ છો તો તમે જોડાયેલ છો જોડાવાનો બીજો કોઇ રસ્તો નથી''તમારી પાસે પૈસા હોઇ શકે છે, મકાન, સુરક્ષા હોઇ શકે છે આ વસ્તુઓ તમને જોડી નહી શકે તેઓ ફકત પુરક છે. પ્રેમના પુરક તેઓ કદાચ તમારી ચીંતામાં વધારો કરશે કારણ કે એકવાર તમારી પાસે પૈસા સુરક્ષા સામાજીક મોભો હશે તેથી તમને વધારે બીક લાગશે કે આ બધુ જતુ રહેશે તો શું થશે? તેથી તમે વધારે અને વધારે એકઠુ કરશો-કારણ કે અતૃપ્તીની કોઇ સીમા નથી.
વ્યકિત પ્રેમ સાથે જોડાવા માંગે છે જેમ વૃક્ષો પૃથ્વી સાથે જોડાયેલ છે તેમ મનુષ્ય પ્રેમ સાથે જોડાયેલ છે તે અદ્રશ્ય છે તેથી જે દ્રશ્ય છે તે કયારેય મદદ નહી કરી શકે પૈસા, ઘર, સામાજીક મોભો દેખાય છે.પરંતુ આપણે આપણા અદ્રશ્ય મૂળને શોધવુ પડશે તે પ્રેમ છે. પ્રાર્થના છે તે અદ્રશ્ય છે, જાદુઇ છે તમે તેને પકડી ના શકો
સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧