મુખ્ય સમાચાર
News of Wednesday, 30th June 2021

ગૃહ મંત્રાલયે રાજયોને પત્ર લખીને કોરોના વિરૂધ્ધ આપ્યાં ૫ મંત્ર

રાજયોને પાબંદીઓમાં છૂટછાટ ક્રમબદ્ઘ રીતે આપવાની સલાહ આપવામાં આવી : જયાં એકિટવ કેસની સંખ્યા વધારે ત્યાં વધારે સાવધાની રાખવાની જરૂર : આરોગ્યની માળખાકીય સુવિધાનું નિવારણ અને સુધારણા માટે જરૂરી પગલાં લેવા જોઈએ

નવી દિલ્હી,તા. ૩૦: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજયોને કોરોનાની પાબંદીઓમાં આપવામાં આવેલી છૂટછાટની પ્રક્રિયામાં સાવધાનીપૂર્વક ક્રમબદ્ઘ રીતે લાગૂ કરવા માટે કહ્યું છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે, કોવિડ-૧૯દ્ગક્ન મેનેજમેન્ટ માટે ટેસ્ટ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, વેકસીનેશન અને કોરોના પ્રોટોકોલના પાંચ સૂત્રીય રણનીતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

ગૃહ મંત્રાલયે રાજયોને કહ્યું કે, જીલ્લાઓને વહીવટી એકમ તરીકે જોતાં સંક્રમણના મામલાનો દર અને હોસ્પિટલોમાં બેડ્સ ભરેલા પડ્યાં હોવાની સ્થિતિ પર નિયમિત રીતે નજર રાખવી જોઈએ. જો સંક્રમણનો દર અને બેડ્સ પર દર્દીઓની સંખ્યા વધવાના પૂર્વ સંકેત મળે તો કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવવાની કાર્યવાહી કરવી જોઈએ.

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જુલાઈ મહિનાના કોવિડ-૧૯ મેનેજમેન્ટ પર તમામ રાજય સરાકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના તંત્રને સલાહ આપી છે. જેમાં કહેવાયું છે કે, રાજયોએ નિયમિત રીતે એ જીલ્લાઓ પર નજર રાખવી જોઈએ કે જયાં પ્રતિ ૧૦ લાખ જનસંખ્યા પર કોરોના વાઇરસના એકિટવ કેસની સંખ્યા વધારે છે, કારણ કે સ્વાસ્થ્યનું મૂળભૂત માળખુ અને સાધનોને અપગ્રેડ કરવાની જરૂરિયાતનું અનુમાન લગાવાવ માટે આ એક મહત્વપૂર્વ સંકેત છે, જેથી જલ્દી અને તુરંત જ કાર્યવાહી કરવામાં આવી શકે.

કેન્દ્રીય ગૃહ સચિવે કહ્યું કે, અનેક રાજયોમાં કોરોના વાઇરસના એકિટવ કેસમાં ઘટાડો થવાની સાથે પ્રતિબંધોમાં છૂટછાટ આપવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે, પ્રતિબંધોમાં છૂટછાટ આપવાની પ્રક્રિયાને સાવધાનીપૂર્વક નક્ક કરવી જોઈએ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર સલાહ મુજબ રાજયો દ્વારા ફાસ્ટ અને નક્કી કરાયેલી કાર્યવાહી કરવી જોઈએ. આ પત્રમાં કહેવાયું છે કે, કોરોના કેસમાં વધારો અને દર્દીઓથી ભરેલા બેડ્સની સંખ્યા વધવાના શરૂઆતી સંકેત જોતા નિવારણ ઉપાય અને આરોગ્યની માળખાકીય સુવિધાના નિવારણ અને સુધારણા માટે જરૂરી પગલાં લેવા જોઈએ.

આ દરમિયાન સરકાર સતત કોરોના વેકસીનેશનમાં ઝડપ લાવી રહી છે. દેશમાં મોટા સ્તરે વેકસીનેશન ચાલી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં કોવિડ-૧૯ વિરૂદ્ઘ અત્યાર સુધીમાં રસીના આપવામાં આવેલા ડોઝની સંખ્યા કુલ ૩૩ કરોડથી વધારે થઈ ગઈ છે. મંગળવારે આપવામાં આવેલી રસીના ૩૩.૭૯ લાખ ડોઝ પણ સામેલ છે.

(10:08 am IST)