મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

કાલથી અનલોક-રમાં લોકો આ કામ નહી કરી શકે સરકારની ખાસ ગાઇડલાઇન

રાજકોટ તા. ૩૦ : કોરોના વાયરસના વધતા કેસને લઇને સરકાર અનલોકની મદદથી ધીરે ધીરે જિંદગીને પાટા પર લાવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે સોમવારે૩૧ જુલાઇ સુધી અનલોક ર.૦ ની ગાઇડલાઇન્સ જાહેર કરી છે. આ ગાઇડલાઇન બુધવારે ૧ જુલાઇથી લાગુ થશે અને તેની સાથે હવે અનેક શરતો પણ લાગુ થશે. કેટલાક નિયમોમાં છુટછાટ આપવામાં આવશે. જાણી લો કયા ૭ કામ પર આવતીકાલથી લાગશે બેન.

અનલોક રમાં નહીં કરી શકો આ કામ

 તમે નાઇટ આઉટ કે રાતે લોન્ગ ડ્રાઇવ પર જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો રોકાઇ જાઓ, નાઇટ કફર્યુનો સમય બદલાઇ ગયો છે અને સાથે રાતે ૧૦ થી સવારે પ વાગ્યા સુધી રહેશે.

 દોસ્તોની સાથે મૂવી જોવા અને મોલમાં હંેગઆઉટ કરવાની ઇચ્છા રાખો છો તો એવું નહીં કરી શકો. મોલ અને મલ્ટીપ્લેકસ બંધ જ રહેશે.

 કોલેજ જઇને ફરીથી પ્રોફેસરના લેકચર લઇ શકાશે નહીં. સ્કુલ કોલેજ અને કોચિંગ સંસ્થા ૩૧ જુલાઇ સુધી બંધ રહેશે.

 મેટ્રો ટ્રેનો ફરી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી, તે બંધ જ રહેશે.

 ઘરે બેસીને દરેક સમયે ખાતા રહેવાથી વજન વધે છે.જિમ જઇને ફેટ બર્ન કરવા ઇચ્છો છો તો તે શકય નથી. જિમ બંધ રહેશે. ઘરે વર્કઆઉટ કરો તે યોગ્ય છે.

 ગરમીમાં સ્વીમિંગ પુલમાં કુલ થવાનું વિચારી રહ્યા છો તો તમે એવું કરી શકશો નહીં.

 થિએટર કે એન્ટરટેનમેન્ટ પાર્ક જઇને દોસ્તો સાથે સમય વીતાવવા ઇચ્છે છે તો તમે એવું કરી શકશો નહીં. આ બંને ચીજો બંધ રહેશે.તેની મજા લઇ શકશો નહીં.

(4:01 pm IST)