News of Tuesday, 30th June 2020
ઉત્તરાખંડમાં હાથીઓની સંખ્યામાં ૧૦.૧૭ ટકાનો વધારોઃ રાજયમાં કુલ આંકડો ૨૦૨૬
દેહરાદુનઃ ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યુ કે રાજયમાં કુલ હાથીઓની સંખ્યા ૨૦૨૬ છે. જે ૨૦૧૨માં ૧૫૫૯, ૨૦૧૭માં ૧૮૩૯ હતી. આમ ૨૦૧૭થી હાથીઓની સંખ્યામાં ૧૦.૧૭ ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત ૪૫૧ મગરમચ્છ, ૭૭ ઘડીયાલો છે. ૨૦૨૦થી ૨૦૨૨ સુધીમાં ચીતાની પણ વસ્તી ગણતરી કરવામાં આવશે.
(3:13 pm IST)