News of Wednesday, 30th May 2018
ઇન્ડોનેશિઆના નાગરિકોને ભારતના ૩૦ દિવસિય પ્રવાસ માટે ફ્રી વીઝા અપાશેઃ જાકાર્તા મુકામે સંબોધન દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ઘોષણાં
જાકાર્તાઃ ઇન્ડોનેશિઆના પ્રવાસે ગયેલા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું જાકાર્તામાં ઉષ્માભેર સ્વાગત કરાયુ હતું. જયાં ભારતીય સમૂદાયને તેમણે સંબોધન કર્યુ હતું.
આ તકે શ્રી મોદીએ ઇન્ડોનેશિઆના નાગરિકોને ભારતની ૩૦ દિવસની યાત્રા માટે ફ્રી વીઝા આપવાની ઘોષણાં કરી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(7:05 pm IST)