News of Wednesday, 30th May 2018
વર્ષ 2017માં ભારતમાં અલ્પસંખ્યકોએ ખુબ જ અસુરક્ષિત મહેસુસ કર્યા
આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વત્રંત્રતા પર આધારિત એક અમેરિકી રિપોર્ટનું તારણ
નવી દિલ્હી :વર્ષ 2017માં ભારતમાં અલ્પસંખ્યકોએ ખુબ જ અસુરક્ષિત મહેસુસ કર્યા હતા તેમ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વત્રંત્રતા પર આધારિત એક અમેરિકી રિપોર્ટનું તારણ નીકળ્યું છે
:અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પીઓએ અમેરિકી કોંગ્રેસ દ્વારા અધિકૃત 2017નો આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગેનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો
અહેવાલ મુજબ ધાર્મિક અલ્પસંખ્યક સમુદાયોના પ્રતિનિધિઓએ જણાવ્યું કે જ્યાં રાષ્ટ્રીય સરકારના જ કેટલાક નેતાઓ કેટલીક વાર હિંસાના વિરોધમાં બોલ્યા પણ સ્થાનિક નેતાઓએ ભાગ્યેજ આવું કર્યું છે ને કેટલીક વાર જાહેરમાં એવી ટિપ્પણી કરી જેનો અર્થ હિંસાને અવગણવી તેમ સમજાય છે
(12:00 am IST)