અમેરિકાની તેના નાગરિકોને વહેલી તકે ભારત છોડવા તાકીદ : એડવાઈઝરી જાહેર કરી
કોવિડ -19 પરીક્ષણ સુવિધાઓ મર્યાદિત : તબીબી સપ્લાયને લઈને હોસ્પિટલોમાં ભયંકર પરિસ્થિતિ : નવા દર્દીઓ માટે હોસ્પિટલમાં કોઈ પલંગ નથી
નવી દિલ્હી : અમેરિકાએ તેના નાગરિકોને વહેલી તકે ભારત છોડવા જણાવ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સે ભારતમાં કોરોના સંક્રમણના ઝડપથી ફેલાવા અંગે એડવાઇઝરી જાહેર કરી છે.
અમેરિકાએ કહ્યું છે કે ભારતમાં કોરોના સંકટ એટલું વધ્યું છે કે તબીબી સુવિધાઓ અપૂરતી સાબિત થઈ રહી છે.
અમેરિકાએ લેવલ 4 ટ્રાવેલ હેલ્થ નોટિસ જારી કરી છે. આ પ્રકારની ચેતવણી ત્યારે જારી કરવામાં આવી છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ જો બિડેને ભારતને અનેક રીતે પર કોરોના સંકટને પહોંચી વળવા મદદ કરવાની જાહેરાત કરી.
અમેરિકન વિદેશ વિભાગે આરોગ્ય ચેતવણી જારી કરતાં કહ્યું છે કે, "ભારતમાં કોરોના કેસ અને મૃત્યુના અંક દરરોજ રેકોર્ડ તોડી રહ્યા છે." કોવિડ -19 પરીક્ષણ સુવિધાઓ પણ મર્યાદિત છે. તબીબી સપ્લાયને લઈને હોસ્પિટલોમાં ભયંકર પરિસ્થિતિ છે. આ સિવાય નવા દર્દીઓ માટે હોસ્પિટલમાં કોઈ પલંગ નથી.
અમેરિકન એડવાઇઝરીમાં એવું કહેવામાં આવ્યું છે કે કોવિડના વધતા જતા કેસોને કારણે તબીબી સુવિધાઓ ઘ્વસ્થ થઈ છે. અમેરિકન નાગરિકોએ ભારતથી આવતી ફ્લાઇટ્સમાંથી સીધા જ આવી જવું જોઈએ.