ભારતને સપ્લાય કરવા અમારી પાસે વધારાની વેકસીનનો જથ્થો ઉપલબ્ધ નથી: બ્રિટનની સ્પષ્ટ વાત
લંડન: યુકે હાલમાં કોરોના કટોકટીમાં તેની સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવા સંઘર્ષ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, તેની પાસે કોરોના રસીનો સરપ્લસ ડોઝ નથી, જેથી હાલમાં ભારત સહિત અન્ય કોઈ દેશ સાથે શેર કરી શકાય તેમ નહિ હોવાનું ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું. ભારતમાં કોરોના વાયરસની બીજી તરંગના સંદર્ભમાં, બ્રિટિશ વડા પ્રધાન બોરીસ જ્હોનસનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે ભારતમાં ૪૯૫ ઓક્સિજન કોન્સન્ટ્રશન, ૧૨૦ નોન ઇન્વેઝીવ વેન્ટિલેટર અને ૨૦ મેન્યુઅલ વેન્ટિલેટર સપ્લાય કરીએ છીએ. આવી પ્રથમ ખેપ દિલ્હી પહોંચી ગઈ છે.
બ્રિટિશ વડા પ્રધાન બોરીસ જ્હોનસનના પ્રવક્તાએ કહ્યું કે, 'અમે ફેબ્રુઆરીમાં વચન આપ્યું હતું કે જેની જરૂરિયાત હોય તેવા દેશોને અમે અમારા વતી સપ્લાય કરીશું. અમે તે ચીજો સપ્લાય કરીશું, જે અમારી ઓએસે વધુ માત્રામાં હશે બ્રિટિશ વડા પ્રધાનના પ્રવક્તાએ કહ્યું કે અત્યારે અમારી પ્રાથમિકતા બ્રિટીશ જનતા છે. અમારી પાસે વધારાના ડોઝ નથી, પરંતુ અમે સતત તેની સમીક્ષા કરી રહ્યાં છીએ. અમે સમજીએ છીએ કે જ્યાં સુધી બધા લોકો આ રોગચાળાથી સુરક્ષિત નથી, ત્યાં સુધી કોઈ સુરક્ષિત નથી.