News of Friday, 30th April 2021
મહારાષ્ટ્રમાં આજે પણ ૬૬ હજારથી વધુ કેસ અને ૭૭૧ મોત નોંધાયા: જોકે સાજા થવાનો આંક વધુ મોટો
કોરોના મહારાષ્ટ્રનો પીછો છોડતો નથી. સતત લોકડાઉન છતાં મહારાષ્ટ્રમાં આજે રાત્રિ સુધીમાં ૬૬,૧૫૯ નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યારે ૨૪ કલાકમાં ૭૭૧ નવા મૃત્યુ થયા છે. આ બધા વચ્ચે રાહતની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન ૬૮,૫૩૭ લોકો કોરોનામાંથી સાજા થયા છે. જે આંકડો નવા કોરોનાગ્રસ્ત લોકો કરતાં વધુ મોટો છે.
(12:00 am IST)