News of Sunday, 29th November 2020
મથુરા-દિલ્હી રાજમાર્ગ પર એન્કાઉન્ટરમાં નિર્દોષનું મૃત્યુ
નવી દિલ્હી : મથુરા-દિલ્હી રાષ્ટ્રીય રાજમાર્ગ પર કેડી મેડિકલ કોલેજ નજીક એક એન્કાઉન્ટરમાં કારમાં સવાર એક વેપારીનું ગોળી વાગવાથી મૃત્યુ થયું છે. પોલીસને બાતમી હતી હતી કે બાઇકમાં બે બદમાશ પસાર થવાના છે જેને આધારે પોલીસે પહેરો ગોઠવ્યો હતો. પોલીસને જાતા જ બદમાશોએ ગોળીબાર કર્યા હતો. પોલીસે દાવો કર્યો કે બદમાશની ગોળીથી વેપારીનું મૃત્યુ થયુ છે જયારે હતભાગીના પરિવારે પોલીસે ખોટી બાતમીને આધારે સૂમો કાર પર ફાયરીંગ કર્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસ પર કાર્યવાહીની માગ સાથે પરિવારજનો સહિતનું ટોળુ પોલીસ સ્ટેશને ધસી ગયું અને ભારે હંગામો કર્યો હતો.
(1:53 pm IST)