News of Sunday, 29th November 2020
આતંકવાદી સાજીદ મીર વિષે માહિતી આપો અને 50 લાખ ડોલર લઇ જાવ : મુંબઈમાં 26 નવેમ્બર 2008 ના રોજ થયેલા આતંકવાદી હુમલા માટે દોષિત : આતંકવાદી હુમલાનો માસ્ટર માઈન્ડ સાજીદ અમેરિકાની સરકારના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં હોવાથી ઇનામ જાહેર કર્યું : પાકિસ્તાનના લાહોરમાં હોવાની શંકા
વોશિંગટન : મુંબઈમાં 26 નવેમ્બર 2008 ના રોજ થયેલા આતંકવાદી હુમલા માટે ભારત અને અમેરિકાએ સાજીદ મીરને દોષિત ગણ્યો છે.આ હુમલામાં માર્યા ગયેલા 166 નિર્દોષ નાગરિકોમાં 6 અમેરિકન નાગરિકો પણ હતા.
આ હુમલાનો માસ્ટર માઈન્ડ ગણાતો સાજીદ મીર પાકિસ્તાનના લાહોરમાં હોવાની શંકા છે.તેની ધરપકડ કરવા અમેરિકન સરકારે 50 લાખ ડોલરનું ઇનામ જાહેર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં હુમલો કરવા માટે પાકિસ્તાનથી 10 આતંકવાદીઓ આવ્યા હતા.જે પૈકી કસાબ જીવતો પકડાઈ ગયો હતો તેને ફાંસી આપી દેવામાં આવી હતી.
(7:10 pm IST)