બંધારણમાં પદ નહીં હોવા છતાં દેશના 16 રાજ્યોમાં ડે.સીએમ : આંધ્રપ્રદેશમાં સૌથી વધુ 5 ઉપમુખ્યમંત્રી
કર્ણાટકમાં ત્રણ ડેપ્યુટી સીએમ અને ઉત્તરપ્રદેશમાં 2-2 લોકોને ઉપમુખ્યમંત્રી બનાવાયા
નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીપદે ઉદ્ધવ ઠાકરેએ શપથ ગ્રહણ કર્યા છે હવે ડેપ્યુટી CM પદને લઈને હજી સુધી નક્કી થયુ નથી કે, ડેપ્યુટી સીએમ કોણ બનશે. કોંગ્રેસ અને એનસીપીએ હજી સુધી પોતાના પત્તા ખોલ્યા નથી.
બંધારણમાં ઉપમુખ્યમંત્રી, ઉપપ્રધાનમંત્રી પદને લઈને કોઈ વ્યાખ્યા અપાઈ નથી પરંતુ તેને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી બાદ બીજા નંબરનું પદ બનાવી દેવામાં આવ્યુ છે. ઉપમુખ્યમંત્રી ક્યારેક રાજકીય હિત સાધવા માટે બનાવવામાં આવે છે, તો ક્યારેક ગઠબંધન ધર્મ નીભાવવા માટે. રાજકીય સ્થિરતા બનાવી રાખવા માટે કેબિનેટમાં ઉપમુખ્યમંત્રીને રાખવામાં આવે છે. જેમકે તેલંગાણામાં મુખ્યમંત્રીનાં ચંદ્રશેખર રાવની સાથે બે ઉપમુખ્યમંત્રી રહી ચૂક્યા છે. જેમાં એક મુસ્લિમ તો એક દલિત ચહેરો રહ્યો છે.
મુખ્યમંત્રીનો વિશેષધિકાર હોય છેકે, પોતાની કેબિનેટમાં કોઈ ઉપમુખ્યમંત્રી રાખવામાં આવે. આ સમયે 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉપમુખ્યમંત્રી મુખ્યમંત્રીઓ સાથે કામ કરી રહ્યા છે. આંધ્રપ્રદેશમાં સૌથી વધારે 5 ડેપ્યુટી સીએમને રાખવામાં આવ્યા છે. જ્યારે કર્ણાટકમાં ડેપ્યુટી સીએમની સંખ્યા 3 તો ગોવા અને ઉત્તરપ્રદેશમાં 2-2 લોકોને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
ક્યાં ક્યા રાજ્યમાં કોણ અને કેટલાં ઉપમુખ્યમંત્રી છે?
- આંધ્રપ્રદેશ - અલાનાની, અજમત પાશા શેખ, કે નારાયણ સ્વામી, પિલ્લી સુભાષચંદ્ર બોસ, પુષ્પશેરવાની પલુમા
- અરૂણાચલ પ્રદેશ- ચાઉનામેન
- બિહાર - સુશીલકુમાર મોદી
- દિલ્હી- મનિષ સિસોદિયા
- ગોવા - મનોહર અજગવંકર, ચંદ્રકાંત કાવલેકર
- ગુજરાત- નીતિનભાઈ પટેલ
- હરિયાણા - દુષ્યંત ચૌટાલા
- કર્ણાટક -સી એન અશ્વત નારાયણ, ગોવિંદ કરજોલ, લક્ષ્મણ સાવદી
- મણિપુર -જૉય કુમાર સિંહ
- મેઘાલય -રેસ્ટોન શ્યાંગ
- મિઝોરમ- તાઉનલિયા
- નાગાલેન્ડ -યંથુંગો પટ્ટો
- રાજસ્થાન-સચિન પાયલટ
- તામિલનાડુ - ઓ પન્નીરસેલ્વમ
- ત્રિપુરા- જિશ્નુ દેવ વર્મા
- ઉત્તર પ્રદેશ - દિનેશ શર્મા, કેશવ પ્રસાદ મૌર્ય
- અત્રે ઉલ્લેખનીય છે કે 1989માં પહેલીવાર હરિયાણાના દિગ્ગજનેતા દેવીલાલે ઉપપ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. દેવીલાલનાં ઉપ પ્રધાનમંત્રી પદ પીએમ તરીકે શપથ લેવા પર સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. તેની ઉપર કેન્દ્રએ સર્વોચ્ચ અદાલતને જણાવ્યુ હતુકે, આ પદ ફક્ત નામ માટે જ છે. દેવીલાલ અન્ય તમામ મંત્રીઓની જેમ જ રહેશે. આ મામલાની સુનાવણી દરમ્યાન કોર્ટે 9 જાન્યુઆરી, 1990માં ટિપ્પણી કરી હતીકે, દેવીલાલની પાસે પીએમની કોઈ શક્તિ નથી. દેવીલાલનાં ઉપપ્રધાનમંત્રી તરીકે શપથ લીધા બાદ દેશમાં ઉપમુખ્યમંત્રીનો સિલસિલો શરૂ થયો. પહેલીવાર કર્ણાટકમાં 1992માં પૂર્વ વિદેશમંત્રી એસ.એમ. કૃષ્ણા ઉપમુખ્યમંત્રી બન્યા હતા.