રવિવારથી મોબાઇલ ઉપર વાત કરવાનું મોંઘુ થશે
મોબાઇલ ફોન ધારકોએ કોલિંગની સાથે સાથે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની પણ વધુ કિંમત ચુકવવી પડશેઃ ૩પ % સુધીનો થઇ શકે છે વધારોઃ ટેલીકોમ કંપનીઓએ શરૂ કરી તૈયારી

નવી દિલ્હી તા.ર૯ : આર્થિક મંદીના આ કાળમાં હવે પ્રજા પર વધુ એક બોજ આવી રહ્યો છે. આર્થિક મુશ્કેલીઓ ભોગવી રહેલી ટેલીકોમ કંપનીઓના દેવાનો બોજ હવે સીધો મોબાઇલ ફોન ગ્રાહકો પર પડવાનો છે. મોબાઇલ ફોન વાપરનારાઓ માટે ૧ ડીસેમ્બરથી કોલ ઉપરાંત ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનું મોઘું થઇ જશે એટલે કે ટેરીફ પ્લાન મોંઘા થવાના છે.
ભારતી અરટેલ અને વોડાફોન આઇડીયા ૧ ડીસેમ્બર ર૦૧૯ થી પોતાના ટેરીફ પ્લાનમાં વધારો કરવા જઇ રહી છે. એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર)ની ભારે ભરખમ બાકી રકમ ચુકવવા માટે બન્ને કંપનીઓ આવુ કરવા બાકબતે વિચારી રહી છે. જો કે બન્ને કંપનીઓને હજુ ચોખવટ નથીકરીકે તે ટેરીફ કેટલી વધારશે ઇકોનોમિકસ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર આ કંપનીઓ પોતાના ટેરીફમાં ૩પ ટકા સુધીનો વધારો કરી શકે છે.
મોબાઇલ કંપની ભારતી એરટેલનું કહેવુ છે કે ટેલીફોન સેકટરમાં નવી નવી ટેકનીક લગાડવા માટે વધારે રોકાણની જરૂર છે. એટલા માટે ટેરીફ વધારવમાંં આવશે સુત્રો અનુસાર એરટેલના ૧૦૦ રૂપિયાનું રિચાર્જ ૧૩પ રૂપિયા સુધી મોઘું થઇ જશે એવી પણ આશા વ્યકત કરાઇ રહી છે કે રિચાર્જની કિંમત નહી વધારાય પણ કેટલીક સર્વિસો (વોઇસ કોલ, મેસેજ, ડેટા) ઘટાી દેવાય જો કે આખુ ચિત્ર એક બે દિવસમાં સ્પષ્ટ થઇ જશે.
બીજી તરફ નાણાકીય સંકટ ભોગવી રહેલી વોડાફોન આઇડીયા લીમીટેડ કહ્યું કે તે ટેરીફમાં વધારોકરશે જે એક ડીસેમ્બરથી અમલી બનશે ટેલિકોમ ક્ષેત્રની બન્ને મોટી કંપનીઓ તરફથી જાહેરાત થયા પછી દિગ્ગજ ટેલિકોમ કંપની જીઓએ પણ ટેરીફમાં વધારાની જાહેરાત કરી હતી.
ટેલિકોમ સેકટરના નિષ્ણાતોનૂં કહેવું છે કે ૧૪ વર્ષ જુના એીઆર કેસમાં સુપ્રિમના ચુકાદા પછી ટેલિકોમ કંપનીઓ પર દેવાનો બોજ વધી ગયો છે. સૂપ્રિમ કોર્ટે એજીઆર કેસમાં મોબાઇલ કંપનીઓ વિરૂદ્ધ ચુકાદો આપ્યો હતો. જેમાંં કંપનીઓએ સરકારને ભારે રકમ ચુકવવી પડશે એટલે કંપનીઓ ટેરીફ વધારીને તે ખાડો પુરવા માગે છે જો કંપનીઓ ટેરીફમાં ૧૦ ટકાનો વધારો કરે તો તેનાથી તેને આગામી ત્રણ વર્ષના ૩પ હજાર કરોડ રૂપિયાનું ભંડોળ પ્રાપ્ત થાય તેવીઆશાઓ જણાવાઇ રહી છે.