શેરડીના ખેડૂતોને રાહત આપવા સરકારે ખાંડની નિકાસની સમય મર્યાદા ડિસેમ્બર સુધી લંબાવી
સુગર મિલો માટે ફાળવેલ સુગર ક્વોટાની ફરજિયાત નિકાસ મુદતને ડિસેમ્બર સુધી વધારી
નવી દિલ્હી : સરકારે શેરડીના ખેડુતોને રાહત આપવા, ખાંડની નિકાસની સમયમર્યાદા લંબાવી છે. કેન્દ્ર સરકારે આ વર્ષે સુગર મિલો માટે, ફાળવેલ સુગર ક્વોટાની ફરજિયાત નિકાસ મુદતને, ત્રણ મહિનાથી ડિસેમ્બર સુધી વધારી દીધી છે. ફૂડ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ સોમવારે આ માહિતી આપી.હતી
સપ્ટેમ્બરમાં પૂરા થતાં માર્કેટિંગ વર્ષ 2019-20 માટે વધારાની ખાંડના નિકાલમાં સહાય માટે સરકારે ક્વોટા હેઠળ 60 લાખ ટન ખાંડની નિકાસ કરવાની મંજૂરી આપી છે. ખાદ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ સુબોધકુમારસિંહે જણાવ્યુ હતુ કે, '60 લાખ ટનમાંથી 57 લાખ ટન ખાંડનો કરાર થયો છે. જેમાંથી આશરે 56 લાખ ટન ખાંડ મિલોમાંથી મુક્ત કરવામાં આવી છે.' તેમણે કહ્યુ કે, 'કોવિડ -19 રોગચાળા દરમિયાન હિલચાલમાં મુશ્કેલી હોવાને કારણે કેટલીક મિલો તેમનો સ્ટોક મોકલી શકતી નથી.'
સિંહે કહ્યુ હતુ કે, 'કોરોના રોગચાળા દરમિયાન ઘણી મિલોને, લોજિસ્ટિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેથી અમે તેમને તેમના ક્વોટાની નિકાસ માટે ડિસેમ્બર સુધી થોડો વધુ સમય આપવાનો નિર્ણય કર્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે સુગર મિલોએ ઈરાન, ઇન્ડોનેશિયા, નેપાળ, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા દેશોમાં ખાંડની નિકાસ કરી છે.'
અત્રે ઉલ્લેખનીય છે કે, માર્કેટિંગ વર્ષ 2019-20 દરમિયાન વધારાના ઘરેલુ શેરને નાબૂદ કરવા અને મિલોને ખેડુતોને શેરડીનો જંગી લેણુ ચૂકવવામાં મદદ કરવા માટે, સરકાર 6 મિલિયન ટન ખાંડની નિકાસ માટે 6,268 કરોડની સબસિડી આપી રહી છે. નોંધનીય છે કે, ઇન્ડોનેશિયામાં ખાંડની નિકાસ સાથે સંબંધિત ગુણવત્તાના કેટલાક પ્રશ્નો હતા, જેનો હવે નિરાકરણ આવી ચૂક્યુ છે અને જેનાથી ભારતની નિકાસને વેગ મળ્યો છે.