News of Tuesday, 29th September 2020
અનુમતિ વગર કૃષિ બિલના વિરોધ-પ્રદર્શનને લઇ તેજસ્વી, પપ્પૂ યાદવ વિરૂધ્ધ કેસ દાખલ
પટના (બિહાર)માં કૃષિ ખરડાઓના વિરૂધ્ધ પ્રદર્શનને લઇ આરજેડી નેતા તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ, ‘જાપ' અધ્યક્ષ પપ્પૂ યાદવ સહિત પ લોકો વિરૂધ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલિસએ ૧પ૦ અજાણ્યા વિરૂધ્ધ પણ કેસ દાખલ કર્યો પોલિસએ અનુમતિ વગર રેલી કાઢવા, કોવિડ-૧૯ પ્રોટોકોલના ઉલ્લંઘનને લઇ કેસ દાખલ કર્યો છે.
(12:00 am IST)