News of Thursday, 29th August 2019
એર ઇન્ડિયાનું અધિગ્રહણ કરવાવાળો ખૂબજ ભાગ્યશાળી હશેઃ સરકાર
નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ ગુરુવારના જણાવ્યું કે સાર્વજનીક ક્ષેત્રની વિમાન કંપની એર ઇન્ડિયાનું અધિગ્રહણ કરનાર ખુબજ ભાગ્યશાળી હશે અને મજબૂત ખાનગી ક્ષેત્રના સિદ્ધાંતો અનુસાર તેને ચલવવા માટે સક્ષમ હશે.
આ ઉપરાંત એમણે કહ્યું કે સરકાર આનું ખાનગીકરણ અને સમયબદ્ધ રીતે સૌથી સારો સોદો હાસીલ કરવા માટે દ્રઢ સંકલ્પિત છે.
(11:18 pm IST)