અમરનાથની પવિત્ર ગુફા નજીક વાદળ ફાટ્યુ : બીએસએફ-સીઆરપીએફના કેમ્પ નજીક ઘટના
કોઈ નુકસાન થયુ નથી કે નથી કોઈને ઈજા પહોચી
અમરનાથની પવિત્ર ગુફા પાસે બુધવારે વાદળ ફાટ્યુ છે પ્રાથમિક વિગતો અનુસાર, વાદળ ફાટવાને કારણે અમરનાથની પવિત્ર ગુફા નજીક બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF ) ના કેમ્પને ભારે નુકસાન થયુ છે. જો કે હજુ સુધી વાદળ ફાટવાને કારણે જાનમાલને નુકસાન થયાના અહેલાવ સામે આવ્યા નથી. અમરનાથની પવિત્ર ગુફા પાસે વાદળ એવા સમયે ફાટ્યુ હતુ કે જ્યારે ગુફા પાસે કોઈ શ્રધ્ધાળુઓ નહોતા
એક અધિકારીના જણાવ્યાનુસાર, અમરનાથની પવિત્ર ગુફા નજીક ફાટેલા વાદળને કારણે કોઈ નુકસાન થયુ નથી કે નથી કોઈને ઈજા પહોચી. તેમણે કહ્યુ કે, પહેલેથી જ અમરનાથની પવિત્ર ગુફા નજીક એસડીઆરએફની (SDRF) બે ટીમ તહેનાત હતી. અને વધુ એક ટીમને ગંદરબલથી અમરનાથ તરફ રવાના કરી દેવાઈ છે. આ વર્ષે કોરોનાને કારણે અમરનાથની યાત્રા સ્થગિત કરવામા આવી હતી જેના કારણે ગુફા પાસે કોઈ યાત્રિકો નહોતા. માત્ર અમરનાથ શ્રાઈન બોર્ડના કર્મચારીઓ અને સુરક્ષાદળના જવાનો જ અમરનાથ ગુફાની આસપાસ તહેનાત હતા.