News of Saturday, 29th June 2019
PNBથી મોટુ કૌભાંડઃ સંદેસરા બ્રધસે ર બેંકોને લગાવ્યો ૧૪પ૦૦ કરોડનો ચૂનો
નવી દિલ્હી : ઇડીનો ધડાકોઃ સંદેસરા બ્રધર્સે કરેલો ગોટાળો પીએનબી કૌભાંડ કરતાં પણ મોટો છેઃ સ્ટર્લિંગ બાયોટેક/સંદેસરા ગ્રુપ અને તેના પ્રમોટર નીતિન સંદેસરા, ચેતન સંદેસરા, દિપ્તી સંદેસરાએ ભારતીય બેંકોને રૂ. ૧૪પ૦૦ કરોડનો ચૂનો લગાવ્યો છેઃ જયારે નીરવ મોદીએ રૂ. ૧૧૪૦૦ કરોડનું કૌભાંડ કર્યુ છેઃ સ્ટર્લીંગ બાયોટેકના પ્રમોટર ચેતન-નીતિન પર નકલી કંપની બનાવી બેંકો પાસેથી લોન લેવાનો આરોપ છે CBI એ આ સામે પ૦૦૦ કરોડનો કેસ કર્યો છે આ બધા હાલ ફરાર છેઃ ઇડીએ લુકઆઉટ નોટીસ પણ જારી કરી છે
(3:41 pm IST)